ડાયમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના ભાવમાં વધારો: જૈવિક ખાતરો તરફ વળવાનો સમય
ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. ડાયમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ખાતરના ભાવમાં ૧૨ થી ૧૫ ટકાનો વધારો થવાની ધારણા છે. આ વધારો ખેડૂતો માટે મોટો આર્થિક બોજ બની શકે છે.

ડીએપી ખાતરમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ તેની કિંમતમાં વધારાને કારણે ખેડૂતોની ખર્ચમાં વધારો થશે અને તેમની આવક ઘટી શકે છે.
આ પરિસ્થિતિમાં, ખેડૂતોએ જૈવિક ખાતરો તરફ વળવાનો વિચાર કરવો જોઈએ. જૈવિક ખાતરો રાસાયણિક ખાતરોની સરખામણીમાં સસ્તા અને પર્યાવરણને અનુકૂળ છે. જેમાં જી-માસ્ટર ડૉ , રૂટ સ્પેશિયાલિસ્ટ જેવા ખાતરોને અપનાવી શકાય છે.

જી-માસ્ટર ડૉ , રૂટ સ્પેશિયાલિસ્ટ એક શક્તિશાળી જૈવિક ખાતર એટલે કે ઓર્ગનિક ખાતર છે,
- જે જમીનની ઉપજશક્તિ સુધારવામાં મદદરૂપ છે
- જમીનનું પીએચ જાણવી રાખે છે
- જમીનમાં રહેલા અલભ્ય તત્વો ને લભ્ય બનાવે છે
- જમીનમાં મૂળ અને સાથે સાથે તંતુમૂળ નો ફેલાવો કરવા મદદ કરે છે
- જમીનમાં કાર્બન તત્વો વધારે છે
- જમીનને પોચી અને નરમ બનાવે છે
- અળસિયા ની પ્રવૃત્તિ ને વેગ આપે છે
- આ છાણીયા ખાતરનો એક ખુબ જ સારો વિકલ્પ છે
જૈવિક ખાતરોના ઉપયોગથી ખેડૂતોને આર્થિક ખર્ચ ઘટાડવામાં મદદ મળે છે અને પર્યાવરણને પણ બચાવી શકાય છે. સરકાર પણ ખેડૂતોને આ પ્રકારના જૈવિક ખાતરો અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે,
આમ, ડીએપી ખાતરના ભાવમાં વધારો ખેડૂતો માટે એક પડકાર છે. પરંતુ તેઓ જી-માસ્ટર ડૉ,રૂટ સ્પેશિયાલિસ્ટ જેવા જૈવિક ખાતરોના ઉપયોગથી આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે.